મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ગજબના રંગ જોવા મળી રહ્યાં છે. વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ભાજપ અને શિવસેનાના ગઠબંઠનને બહુમત આપીને સરકાર બનાવવાની તક આપી છે પરંતુ બંને પાર્ટીઓમાં મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે. શિવસેના અઢી વર્ષ પોતાનો મુખ્યમંત્રી ઈચ્છે છે. જ્યારે ભાજપ આ અંગે કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી. ભાજપ જ્યાં શિવસેનાના વિધાયકોને તોડવા જેવી વાતો કરી રહ્યો છે ત્યાં શિવસેના પણ બીજા વિકલ્પ અજમાવવાના દાવા કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવેસનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે અમારી પાસે વિકલ્પ છે. પંરતુ વિકલ્પનો ઉપયોગ કરીને પાપ કરવા માંગતા નથી. શિવસેના સત્તા ભૂખી નથી. આ પ્રકારના રાજકારણથી શિવસેનાએ પોતાને હંમેશા દૂર રાખી છે. રાઉતે કહ્યું કે અહીં કોઈ દુષ્યંત નથી જેના પિતા જેલમાં હોય. અહીં અમે છીએ જે નીતિ, ધર્મ અને સત્યનું રાજકારણ રમીએ છીએ. કોંગ્રેસ ક્યારેય ભાજપ સાથે જશે નહીં. 


મહારાષ્ટ્ર: BJP નો પ્લાન 'B' તૈયાર, NCP કે શિવસેનાની મદદ વગર જ બનાવી લેશે સરકાર!


શિવસેના નેતાએ કહ્યું કે મહારાષ્ટ્રનું રાજકારણ કેટલું પેચીદુ બની ગયુ છે તેનો અંદાજો ન લગાવી શકો. સત્તાથી અમને જો દૂર રાખવા માંગતા હોવ તો તે અમારું સન્માન છે. કોઈ ને કોઈ નિર્ણય જલદી લેવાશે. અમે બજાર ખોલીને નથી બેઠા. અમે બસ જોઈએ છીએ કે લોકો કઈ હદ સુધી જઈ શકે છે. અમારી માંગણી એટલી જ છે જે પહેલા નક્કી થયું હતું તેના પર તમે ચર્ચા કરો. જે કરાર થયો હતો તેના પર આગળ વાત કરીશું. 


સંજય રાઉતે કહ્યું કે જો ભાજપ કોઈ પ્લાન એ, બી કે સી અજમાવે તો તેમની મરજી છે. ઝેડ સુધી જતી રહે. પરંતુ ડેમોક્રેસીમાં બધાને હક છે. અમે ગઠબંધન ધર્મનું પાલન કરવા માગીએ છીએ. જો તેઓ નહીં કરે તો જનતા જવાબ આપશે. વિકલ્પને સ્વીકાર રવાની મજબૂરી અમે નથી કરવા માંગતા. લોકતંત્રનું મર્ડર સત્તા માટે અમે ન કરીએ. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...